પોર્ટુગીઝોનું આગમન (૧૪૯૮)
ભારતમાં સૌપ્રથમ આવનાર યુરોપીયન પ્રજા પોર્ટુગીઝો હતી.
- વાસ્કો-દ-ગામા: ૧૪૯૮ માં કેલિકટના કાંઠે ઉતર્યો. જામોરિન (ઝામોરીન) રાજાએ સ્વાગત કર્યું.
- ગવર્નર ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા: 'બ્લુ વોટર પોલિસી' (Blue Water Policy) અમલમાં મૂકી.
- આલ્ફાન્સો ડી અલ્બુકર્ક: પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક. ૧૫૧૦ માં બીજાપુરના સુલતાન પાસેથી ગોવા જીતી લીધું.
- તેમણે કોચી, કાલિકટ અને કન્નાનોર ખાતે કોઠીઓ સ્થાપી હતી.
ડચ અને અંગ્રેજોનું આગમન
- ડચ (નેધરલેન્ડ): ૧૬૦૨ માં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તેમણે મસુલિપટ્ટનમ ખાતે પ્રથમ કોઠી સ્થાપી. ૧૭૫૯ ના બેદરાના યુદ્ધ માં અંગ્રેજો સામે તેમની હાર થતા ભારતમાંથી તેમની સત્તા સમાપ્ત થઈ.
- અંગ્રેજ (British): ૧૬૦૦ માં મહારાણી એલિઝાબેથ દ્વારા ચાર્ટર મળ્યું. ૧૬૦૮ માં કેપ્ટન વિલિયમ હોકિન્સ જહાંગીરના દરબારમાં આવ્યો. ૧૬૧૩ માં સુરત ખાતે પ્રથમ કાયમી કોઠી સ્થાપી.
ફ્રેન્ચોનું આગમન અને સંઘર્ષ
ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની (૧૬૬૪) ની સ્થાપના કોલ્બર્ટ દ્વારા કરવામાં આવી.
- ફ્રેન્ચોએ પોન્ડીચેરીને મુખ્ય મથક બનાવ્યું.
- ડુપ્લે: ફ્રેન્ચ ગવર્નર જેણે ભારતીય રજવાડાઓના આંતરિક ઝઘડામાં રસ લીધો.
- કર્ણાટક વિગ્રહો (Carnatic Wars): અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ત્રણ વિગ્રહો થયા. ૧૭૬૦ ના વાન્ડીવોશના યુદ્ધ માં ફ્રેન્ચોની અંતિમ હાર થઈ અને અંગ્રેજો ભારતની સર્વોચ્ચ સત્તા બની ગયા.
ડેનિશ અને અન્ય પ્રજાઓ
ડેનમાર્કની પ્રજા (ડેનિશ) પણ ૧૬૧૬ માં ભારત આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં મુખ્ય મથક બનાવ્યું હતું. પણ તેઓ વધુ સમય ટકી શક્યા નહીં અને ૧૮૪૫ સુધીમાં પોતાની બધી મિલકતો અંગ્રેજોને વેચીને ભારતમાંથી વિદાય લીધી.
યુરોપીયન કોઠીઓની સ્થાપનાનું વર્ષ-વાર ક્રમ
૧. પોર્ટુગીઝ: ૧૫૦૩ (કોચી)
૨. અંગ્રેજ: ૧૬૧૩ (સુરત કાયમી)
૩. ડચ: ૧૬૦૫ (મસુલિપટ્ટનમ)
૪. ડેનિશ: ૧૬૨૦ (ટ્રાંકેબર)
૫. ફ્રેન્ચ: ૧૬૬૮ (સુરત)