ભારતીય પુનરુજ્જીવનના પિતા: રાજારામ મોહનરાય
રાજારામ મોહનરાય ને 'આધુનિક ભારતના પિતા' અને 'ભારતીય પુનરુત્થાનના જનક' ગણવામાં આવે છે.
- બ્રહ્મો સમાજ (૧૮૨૮): તેમણે મૂર્તિપૂજા અને અંધશ્રદ્ધાનો વિરોધ કરવા બંગાળમાં આ સંસ્થા સ્થાપી.
- સતી પ્રથા નાબૂદી: તેમના પ્રયાસોથી ૧૮૨૯ માં લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો.
- તેમણે 'સંવાદ કૌમુદી' (બંગાળી) અને 'મિરાત-ઉલ-અખબાર' (ફારસી) અખબારો શરૂ કર્યા હતા.
આર્ય સમાજ અને વેદો તરફ પાછા વળો
દયાનંદ સરસ્વતી એ ૧૮૭૫ માં મુંબઈમાં 'આર્ય સમાજ' ની સ્થાપના કરી.
- તેમનો મુખ્ય મંત્ર હતો: 'વેદો તરફ પાછા વળો' (Go back to Vedas).
- તેમણે 'સત્યાર્થ પ્રકાશ' નામનો ગ્રંથ લખ્યો અને શુદ્ધિ આંદોલન શરૂ કર્યું.
- આર્ય સમાજે શિક્ષણ માટે DAV (Dayanand Anglo-Vedic) સ્કૂલો અને ગુરુકુળોની સ્થાપના કરી હતી.
રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ એ ૧૮૯૭ માં બેલુર મઠ (બંગાળ) ખાતે 'રામકૃષ્ણ મિશન' ની સ્થાપના કરી.
- ૧૮૯૩ માં અમેરિકાના શિકાગો માં 'વિશ્વધર્મ પરિષદ' માં આપેલા તેમના ભાષણથી દુનિયા ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ.
- તેમણે 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નો અમર સંદેશ આપ્યો હતો.
અન્ય સુધારણા આંદોલનો
- પ્રાર્થના સમાજ (૧૮૬૭): આત્મારામ પાંડુરંગ અને એમ.જી. રાનડે દ્વારા મહારાષ્ટ્રમાં સ્થાપના.
- સત્યશોધક સમાજ (૧૮૭૩): જ્યોતિબા ફૂલે દ્વારા દલિતો અને સ્ત્રીઓના ઉત્થાન માટે સ્થાપના. તેમણે 'ગુલામગીરી' પુસ્તક લખ્યું હતું.
- થિયોસોફિકલ સોસાયટી: એની બેસન્ટ દ્વારા ભારતમાં પ્રચાર. તેમણે વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજ સ્થાપી જે પાછળથી BHU (Banaras Hindu University) બની.
મુસ્લિમ, શીખ અને પારસી સુધારણા
- અલીગઢ આંદોલન: સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમાજમાં આધુનિક શિક્ષણ માટે શરૂ કર્યું.
- અકાલી આંદોલન: ગુરુદ્વારાઓમાં ભ્રષ્ટાચાર દૂર કરવા શીખ સમાજ દ્વારા લડત.
- રહનુમાઈ મજદયાસન સભા: દાદાભાઈ નવરોજી અને એસ.એસ. બંગાળી દ્વારા પારસી સમાજમાં સુધારા લાવવા સ્થાપના.