સર્વોચ્ચ અદાલત: ન્યાયતંત્રનું શિખર
ભારતીય બંધારણમાં એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા છે. સર્વોચ્ચ અદાલત (Supreme Court) આ પિરામિડના શિખરે છે. તેની નીચે રાજ્ય કક્ષાએ વડી અદાલતો (High Courts) અને તેની નીચે તાબાની અદાલતો (Subordinate Courts) આવેલી છે.
ભારતીય બંધારણના ભાગ-5 માં અનુચ્છેદ 124 થી 147 સુધી સર્વોચ્ચ અદાલતની રચના, સત્તાઓ અને કાર્યપદ્ધતિ વિશેની જોગવાઈ છે. ભારતની સર્વોચ્ચ અદાલતનું ઉદ્ઘાટન 28 જાન્યુઆરી, 1950 ના રોજ થયું હતું. તેણે બ્રિટિશ 'પ્રિવી કાઉન્સિલ' (Privy Council) નું સ્થાન લીધું છે.
ન્યાયાધીશોની સંખ્યા અને રચના
અનુચ્છેદ 124(1) મુજબ:
- મૂળ બંધારણમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશો (કુલ 8) ની જોગવાઈ હતી.
- સંસદ કાયદો બનાવીને ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરી શકે છે.
- હાલમાં (2024 મુજબ) સર્વોચ્ચ અદાલતમાં કુલ 34 ન્યાયાધીશો (1 મુખ્ય ન્યાયાધીશ + 33 અન્ય) ની મંજૂર સંખ્યા છે.
નિમણૂક અને કોલેજિયમ સિસ્ટમ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) ની નિમણૂક વખતે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોની સલાહ લે છે.
કોલેજિયમ સિસ્ટમ (Collegium System): ન્યાયાધીશોની નિમણૂક માટે સર્વોચ્ચ અદાલતના 5 વરિષ્ઠ ન્યાયાધીશોનું એક જૂથ (CJI + 4 વરિષ્ઠ જજ) રાષ્ટ્રપતિને નામની ભલામણ કરે છે. આ પદ્ધતિ 1993 ના 'સેકન્ડ જજ કેસ' થી અમલમાં આવી છે.
લાયકાત અને શપથ
ન્યાયાધીશ બનવા માટે જરૂરી લાયકાતો:
- ભારતનો નાગરિક હોવો જોઈશે.
- કોઈપણ વડી અદાલત (High Court) માં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું હોય, અથવા
- કોઈપણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત (Advocate) કરી હોય, અથવા
- રાષ્ટ્રપતિના મતે તે નામાંકિત કાયદાવિદ (Distinguished Jurist) હોય.
નોંધ: બંધારણમાં ન્યાયાધીશ બનવા માટે કોઈ ન્યૂનતમ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
શપથ: રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમાયેલ વ્યક્તિ સમક્ષ લેવામાં આવે છે.
કાર્યકાળ અને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા
- કાર્યકાળ: 65 વર્ષની ઉંમર સુધી હોદ્દો ધરાવે છે.
- રાજીનામું: રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપી શકે છે.
- દૂર કરવાની પ્રક્રિયા (Removal): સંસદના બંને ગૃહોમાં હાજર અને મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતી (અને કુલ સભ્યોની સાદી બહુમતી) થી ઠરાવ પસાર કરી રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય છે. તેના માટે માત્ર બે જ કારણો હોઈ શકે: (1) સાબિત થયેલ ગેરવર્તણુક (Proved misbehaviour) અથવા (2) અસમર્થતા (Incapacity).
સર્વોચ્ચ અદાલતની સત્તાઓ (Jurisdiction)
- મૂળભૂત હકુમત (Original Jurisdiction - Art 131): કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના અથવા રાજ્યો-રાજ્યો વચ્ચેના વિવાદો.
- રીટ હકુમત (Writ Jurisdiction - Art 32): મૂળભૂત અધિકારોના રક્ષણ માટે બંૅદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ જેવી પાંચ પ્રકારની રીટ.
- અપીલીય હકુમત (Appellate Jurisdiction - Art 132-134): વડી અદાલતોના ચુકાદા વિરુદ્ધ અપીલ સાંભળવી.
- સલાહકારી હકુમત (Advisory Jurisdiction - Art 143): રાષ્ટ્રપતિ કોઈ કાયદાકીય પ્રશ્ન પર સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે.
- ન્યાયિક પુનરાવલોકન (Judicial Review): સંસદ કે વિધાનસભાના કાયદા બંધારણીય છે કે નહીં તે તપાસવાની સત્તા.
નજીરી અદાલત (Court of Record) - અનુચ્છેદ 129
સર્વોચ્ચ અદાલત એ 'નજીરી અદાલત' છે. એનો અર્થ એ કે તેના તમામ ચુકાદાઓ કાયમી પુરાવા તરીકે સચવાય છે અને તાબાની તમામ અદાલતોમાં તે ઉદાહરણ (Precedent) તરીકે ગણાય છે. જો કોઈ અદાલતના આદેશનો અનાદર કરે, તો તેને સજા કરવાની સત્તા પણ અદાલત પાસે છે.
મહત્વના તથ્યો
- પ્રથમ મુખ્ય ન્યાયાધીશ (CJI): એચ.જે. કાણિયા (Heerallal J. Kania).
- પ્રથમ મહિલા ન્યાયાધીશ (જજ): ફાતિમા બીબી (મુખ્ય ન્યાયાધીશ નહીં, માત્ર જજ).
- સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા CJI: વાય.વી. ચંદ્રચુડ.
- જાહેર હિતની અરજી (PIL) ના પિતા: જસ્ટિસ પી.એન. ભગવતી.