ગાંધીજીનું આગમન અને આશ્રમની સ્થાપના
મહાત્મા ગાંધી ૯ જાન્યુઆરી, ૧૯૧૫ ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા.
- કોચરબ આશ્રમ: ૨૫ મે, ૧૯૧૫ ના રોજ અમદાવાદના કોચરબમાં તેમણે 'સત્યાગ્રહ આશ્રમ' સ્થાપ્યો.
- સાબરમતી આશ્રમ: પ્લેગના રોગચાળા અને વધારે જગ્યાની જરૂરિયાતને લીધે ૧૭ જૂન, ૧૯૧૭ ના રોજ આશ્રમ સાબરમતી નદીના કિનારે ખસેડવામાં આવ્યો. અહીં તેમણે હરિજન આવાસ અને ખાદી પ્રવૃત્તિ શરૂ કરી.
અમદાવાદ મિલ મજૂર આંદોલન (૧૯૧૮)
આ ભારતનો પ્રથમ 'ભૂખ હડતાલ' (Hunger Strike) નો કિસ્સો હતો.
- કારણ: મિલ માલિકો દ્વારા 'પ્લેગ બોનસ' બંધ કરવાનો નિર્ણય અને મજૂરોની ૩૫% વેતન વધારાની માંગ.
- નેતૃત્વ: ગાંધીજીએ મજૂરોનો પક્ષ લીધો, જ્યારે તેમના મિત્ર અંબાલાલ સારાભાઈ માલિકોના પક્ષમાં હતા. અંબાલાલના બહેન અનસૂયાબેન સારાભાઈ એ મજૂરોને ટેકો આપ્યો. અંતે માલિકો ૩૫% વધારો આપવા સંમત થયા.
ખેડા સત્યાગ્રહ (૧૯૧૮)
ગુજરાતનો પ્રથમ ન્યાયિક સત્યાગ્રહ અને ખેડૂતોનું આંદોલન.
- કારણ: ભયંકર અતિવૃષ્ટિ અને દુષ્કાળ પછી પણ અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાની ના પાડી હતી.
- સરદાર પટેલનો ઉદય: આ સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલે વકીલાત છોડી ગાંધીજીનો સાથ આપ્યો. ગાંધીજીએ ખેડૂતોને મહેસૂલ ન ભરવા હાકલ કરી. અંતે સરકારે નબળા ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું.
રોલેટ એક્ટ અને ગુજરાત
૧૯૧૯ ના કાળા કાયદા (રોલેટ એક્ટ) વિરુદ્ધ ગાંધીજીએ દેશભરમાં આંદોલન કર્યું. અમદાવાદ અને વિરમગામમાં રેલવે લાઈનો તોડવામાં આવી અને સરકારી મિલકતોને નુકસાન થયું, જેને લીધે ગાંધીજીએ 'હિમાલય જેવડી ભૂલ' સ્વીકારી ૩ દિવસના ઉપવાસ કર્યા હતા.
નવજીવન અને યંગ ઇન્ડિયા
ગાંધીજીએ ૧૯૧૯ માં અમદાવાદથી 'નવજીવન' (ગુજરાતી) અને 'યંગ ઇન્ડિયા' (અંગ્રેજી) સાપ્તાહિકો શરૂ કર્યા, જે આઝાદીના આંદોલનના મુખ્ય પ્રચાર માધ્યમો બન્યા.