મહેસૂલ પદ્ધતિઓ: શોષણનું હથિયાર
અંગ્રેજોએ ભારતમાં પોતાની આવક વધારવા માટે ત્રણ મુખ્ય મહેસૂલ પદ્ધતિઓ દાખલ કરી:
- કાયમી જમાબંધી (૧૭૯૩): લોર્ડ કોર્નવોલિસે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં શરૂ કરી. જમીનદારોને જમીનના માલિક બનાવ્યા અને ચોક્કસ રકમ સરકારને ભરવાનું નક્કી કર્યું.
- રૈયતવારી પદ્ધતિ (૧૮૨૦): થોમસ મુનરો અને એલેક્ઝાન્ડર રીડ દ્વારા મદ્રાસ અને મુંબઈ ઈલાકાઓમાં શરૂ થઈ. અહીં સીધા ખેડૂત (રૈયત) સાથે મહેસૂલ નક્કી કરવામાં આવતું.
- મહાલવારી પદ્ધતિ (૧૮૨૨): હોલ્ટ મેકન્ઝીએ ઉત્તર ભારત અને પંજાબમાં શરૂ કરી. તેમાં આખા ગામ (મહાલ) ને એકમ ગણીને મહેસૂલ ઉઘરાવવામાં આવતું.
સંપત્તિનો નિકાસ (Drain of Wealth)
દાદાભાઈ નવરોજી એ 'Drain of Wealth' થીયરી આપી હતી. તેમણે સાબિત કર્યું કે અંગ્રેજો ભારતની સંપત્તિ કોઈ પણ વળતર વગર ઇંગ્લેન્ડ લઈ જઈ રહ્યા છે.
- તેમણે 'Poverty and Un-British Rule in India' પુસ્તક લખ્યું.
- હોમ ચાર્જીસ (Home Charges), લશ્કરી ખર્ચ અને બ્રિટિશ અધિકારીઓના પગાર-પેન્શન પેટે ભારતનું નાણું વિદેશ જતું હતું.
ઉદ્યોગોનું પતન (De-industrialization)
અંગ્રેજોની વ્યાપારિક નીતિને કારણે ભારતની સમૃદ્ધ હસ્તકલા અને ગૃહ ઉદ્યોગો નાશ પામ્યા.
- ઇંગ્લેન્ડની મશીનરીથી બનેલી સસ્તી વસ્તુઓ ભારતના બજારમાં ઉતારવામાં આવી.
- ભારતના વણકરો અને કારીગરો બેકાર બન્યા. લોર્ડ બેન્ટિકે પણ સ્વીકાર્યું હતું કે 'ભારતના મેદાનો વણકરોના હાડકાથી સફેદ થઈ ગયા છે.'
ખેતીનું વ્યાપારીકરણ (Commercialization)
ખેડૂતોને અનાજને બદલે રોકડિયા પાકો (ગળી, કપાસ, શણ, ચા, કોફી) ઉગાડવાની ફરજ પાડવામાં આવી.
- ગળીના ખેડૂતોનું અતિશય શોષણ થયું, જેમાંથી અંતે 'તીન-કઠિયા પદ્ધતિ' અને બિહારનો ચંપારણ સત્યાગ્રહ જેવી ઘટનાઓ ઉદભવી.
- રોકડિયા પાકોને કારણે અનાજની અછત વરતાઈ અને વારંવાર દુષ્કાળો પડ્યા.
દુષ્કાળ અને ગરીબી
અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં અનેક મોટા દુષ્કાળો પડ્યા.
- ૧૭૭૦ નો બંગાળનો ભયાનક દુષ્કાળ જેમાં ૧/૩ વસ્તી નાશ પામી હતી.
- અંગ્રેજોએ દુષ્કાળ રાહત માટે કોઈ ચોક્કસ નીતિ નહોતી અપનાવી, જેને કારણે લાખો ભારતીયો ભૂખમરાનો ભોગ બન્યા.