મવાળવાદી યુગ અને તેના નેતાઓ
કોંગ્રેસના સ્થાપનાના પ્રથમ ૨૦ વર્ષ (૧૮૮૫-૧૯૦૫) 'મવાળવાદી યુગ' (Moderate Era) તરીકે ઓળખાય છે. આ સમયના નેતાઓ અંગ્રેજોની ન્યાયપ્રિયતામાં વિશ્વાસ ધરાવતા હતા અને બંધારણીય માર્ગે સુધારા ઈચ્છતા હતા.
- મુખ્ય નેતાઓ: દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનર્જી, મોતીલાલ ઘોષ, મદન મોહન માલવીયા અને બદરૂદ્દીન તૈયબજી.
- તેઓ માનતા હતા કે અંગ્રેજો ભારતને સુધારી રહ્યા છે, માત્ર તેમને ભારતીયોની મુશ્કેલીઓથી વાકેફ કરવાની જરૂર છે.
મંતવ્યો અને પદ્ધતિઓ (3-Ps)
મવાળવાદીઓ તેમની માંગણીઓ માટે '૩-P' (3-Ps) ની પદ્ધતિ અપનાવતા હતા:
- Petition (અરજી કરવી)
- Prayer (વિનંતી કરવી)
- Protest (દેખાવો/વિરોધ કરવો - માત્ર બંધારણીય).
તેઓ ભાષણો આપતા, અખબારોમાં લેખ લખતા અને વાર્ષિક અધિવેશનોમાં ઠરાવો પસાર કરીને બ્રિટિશ સરકારનું ધ્યાન દોરતા હતા.
આર્થિક ટીકા અને સંપત્તિનો નિકાસ
મવાળવાદી નેતાઓએ અંગ્રેજોના આર્થિક શોષણનો પર્દાફાશ કર્યો.
- દાદાભાઈ નવરોજી: 'ગ્રાન્ડ ઓલ્ડ મેન' તરીકે ઓળખાતા. તેમણે 'સંપત્તિનો નિકાસ' (Drain of Wealth) થીયરી આપી.
- આર. સી. દત્ત: તેમણે 'Economic History of India' પુસ્તક લખ્યું અને સાબિત કર્યું કે બ્રિટિશ મહેસૂલ પદ્ધતિ જ ગરીબીનું મુખ્ય કારણ છે.
- તેમની આર્થિક ટીકાને કારણે લોકોમાં 'સ્વદેશી' અને 'બહિષ્કાર' ના વિચારો આવવા લાગ્યા.
મવાળવાદી ઓની સફળતાઓ
- ૧૮૯૨નો કાઉન્સિલ એક્ટ: મવાળવાદીઓના દબાણથી અંગ્રેજોએ કાઉન્સિલમાં ભારતીયોની સંખ્યા વધારી અને બજેટ પર ચર્ચા કરવાનો અધિકાર આપ્યો.
- જાહેર સેવાઓ (Public Services): ૧૮૮૬ માં સિવિલ સર્વિસ માટે આયોગ નિમાયું.
- ભારતીયોમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રીય ભાવના પેદા કરવામાં તેઓ સફળ રહ્યા.
તબક્કાની મર્યાદાઓ
મવાળવાદીઓ સામાન્ય જનતા (ખેડૂતો અને મજૂરો) સુધી પહોંચી શક્યા નહોતા. તેમનું આંદોલન માત્ર ભણેલા-ગણેલા મધ્યમ વર્ગ સુધી મર્યાદિત હતું. આ કારણે જ ૧૯૦૫ પછી 'જહાલવાદી' (Extremists) નેતાઓનો ઉદય થયો, જેઓ વધુ આક્રમક પદ્ધતિઓમાં માનતા હતા.